ચૂંટણી જાહેર થતાં જ આચારસંહિતા લાગુ, સોશિયલ મીડિયા માટે પણ નિર્દેશો
Live TV
-
દેશના સૌથી મોટા પર્વ એવા ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ છે. 17મી લોકસભા ચૂંટણી આ વખતે સાત તબક્કામાં યોજાશે. દેશભરમાં 11 એપ્રિલથી 19 મે સુધી 7 તબક્કામાં લોકસભા ચૂંટણી યોજાશે.
23મી મે ના રોજ મતગણતરી થશે. ચૂંટણીની જાહેરાત થતા જ તત્કાલ આચારસંહિતા લાગુ કરવામાં આવી છે. રવિવારે સાંજે ચૂંટણી પંચની પ્રેસ કોન્ફરન્સમાં લોકસભા ચૂંટણી અને ચાર રાજ્યોની વિધાનસભાની તારીખો જાહેર કરવામાં આવી હતી.
ઉપરાંત મુખ્ય ચૂંટણી કમિશ્નર સુનિલ અરોરાએ આચારસંહિતાના નિર્દેશો પણ જારી કર્યા હતા. તેમણે કહ્યું હતું કે, સોશિયલ મીડિયા પર પણ લાગુ થશે આદર્શ આચારસંહિતા. જાહેરાત બાદ ગુજરાતના મુખ્ય ચૂંટણી અધિકારી ડૉ. એસ. મુરલીક્રિષ્નને પણ આચારસંહિતાનું પાલન કરવા અધિકારીઓને તાકીદ કર્યા હતા.
