ચૂંટણી પંચે: ચૂંટણી પછી મતગણતરી દરમિયાન કોઈ પણ પ્રકારના વિજય સરઘસ ન કાઢવા આદેશ કર્યો
Live TV
-
પશ્ચિમ બંગાળ, તમિલનાડુ, આસામ, કેરળ અને પુડ્ડુચેરીની વિધાનસભા ચૂંટણીના 2 મેએ પરિણામ આવવાના છે.
દેશમાં ચાલી રહેલી વિધાનસભાની ચૂંટણીને લઈ ચૂંટણી પંચે મહત્વપૂર્ણ આદેશ કર્યા છે.ચૂંટણી પછી મતગણતરી દરમિયાન કોઈ પણ પ્રકારના વિજય સરઘસ ન કાઢવા ચૂંટણી પંચે આદેશ કર્યો છે.કોઈ પણ પ્રકારની ભીડ એકઠી નહીં કરી શકાય.ચૂંટણીમાં જીતનો આનંદ વ્યક્ત કરી શકાશે નહીં.કોરોના મહામારીને કારણે સોશિયલ ડિસ્ટસિંગનું સંપૂર્ણ પાલન કરવા માટે વિવિધ રાજકીય પાર્ટીઓને સ્પષ્ટ નિર્દેશ ચૂંટણી પંચ દ્વારા આપવામાં આવ્યો છે.દેશમાં પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીના પરિણામ આગામી બીજી મેએ આવવાના છે અને પરિણામ પહેલા ચૂંટણી પંચનો આ નિર્ણય ખુબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે.પશ્ચિમ બંગાળ, તમિલનાડુ, આસામ, કેરળ અને પુડ્ડુચેરીની વિધાનસભા ચૂંટણીના 2 મેએ પરિણામ આવવાના છે.
