ચૂંટણી પંચે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સામે આદર્શ આચારસંહિતા ભંગની થયેલી ફરિયાદને ફગાવી
Live TV
-
ચૂંટણી પંચે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી સામે પણ થયેલી ફરિયાદ ફગાવી, યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને આપી નોટિસ
ચૂંટણી પંચે પ્રધાનમંત્રીના બાડમેરમાં ભાષણમાં આદર્શ આચારસંહિતાના કથિત ઉલ્લંઘનની ફરિયાદ અન્વયે ક્લીનચીટ આપી છે. બાડમેરના ચૂંટણી અધિકારીની પ્રમાણિત કોપીની તપાસમાં ઉલ્લંઘનની કોઈ વાત સામે આવી નથી. ચૂંટણી પંચે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીને મધ્યપ્રદેશના શિહોરમાં તેમના ભાષણમાં આદર્શ આચાર સંહિતાના કથિત ઉલ્લંઘનના આરોપના કેસમાં કલીનચીટ આપી છે. ચૂંટણીપંચે જણાવ્યું છે કે, વિસ્તૃત તપાસમાં આદર્શ આચારસંહિતાનું કોઈ ઉલ્લંઘન જણાવ્યું નથી
