છેલ્લા 24 કલાકમાં દેશમાં 77 હજારથી વધુ દર્દીઓએ કોરોનાને આપી મ્હાત, મૃત્યુદર ઘટીને 1.64 % થયો
Live TV
-
દેશ કોરોના સામે સતત જંગ લડી રહ્યો છે. ઉત્તમ આરોગ્ય સેવા ઉપલબ્ધ હોવાને કારણે અત્યાર સુધીમાં કોરોનાને માત આપીને સાજા થનારા દર્દીની સંખ્યા 37 લાખ 80 હજાર 107 થઇ ચુકી છે. દેશમાં રિકવરી દર વધીને , 78 ટકા થઇ ગયો છે.
છેલ્લા 24 કલાકમાં 77 હજાર 512 દર્દીએ કોરોનાને માત આપી છે. મૃત્યુદર પણ ઘટીને 1.64 ટકા થઇ ગયો છે. છેલ્લા 24 કલાક દરમિયાન એક હજાર 136 દર્દીના મૃત્યુ નિપજતા કુલ મૃત્યુઆંક અગણ્યાએંસી હજાર722 થયો છે. દેશમાં કુલ 9 લાખ 86 હજાર 598 સક્રીય કેસ છે. બીજી તરફ દેશમાં અત્યાર સુધીમાં , પોણા છ કરોડ જેટલા લોકોનું કોરોના ટેસ્ટિગ થઇ ચૂક્યું છે. છેલ્લા 24 કલાક દરમિયાન જ 9 લાખ 78 હજાર 500 ટેસ્ટ થયા હતા.
