જંતર મંતર વિરોધમાં વિદ્યાર્થીઓ પર બળપ્રયોગ કરવાની તપાસ માટે SCની પાંચ સભ્યોની સમિતિ
Live TV
-
સર્વોચ્ચ અદાલતે તાજેતરમાં દિલ્હીમાં વિરોધ પ્રદર્શન કરી રહેલા વિદ્યાર્થીઓ પર પોલીસ અને સુરક્ષા કર્મચારીઓ દ્વારા જરૂરિયાત કરતાં વધુ બળપ્રયોગ કરવા તેમજ પોલીસ કર્મચારીઓ સામે હિંસાના આરોપોની તપાસ માટે પૂર્વ ન્યાયમૂર્તિ આર. સુભાષ રેડ્ડીની અધ્યક્ષતામાં પાંચ સભ્યોની ઉચ્ચાધિકાર સંપન્ન તપાસ સમિતિની રચના કરી છે.
સુપ્રીમ કોર્ટની ખંડપીઠે શું કહ્યું ?
મુખ્ય ન્યાયમૂર્તિ સૂર્યકાંત અને ન્યાયમૂર્તિ જોયમાલ્ય બાગચી તથા વી. મોહનાનીની ખંડપીઠે કહ્યું કે, સમિતિમાં પંજાબ અને હરિયાણા ઉચ્ચ અદાલતના પૂર્વ મુખ્ય ન્યાયમૂર્તિ રવિ શંકર ઝા, દિલ્હી ઉચ્ચ અદાલતના પૂર્વ ન્યાયમૂર્તિ શલિંદર કૌર, સીબીઆઈના પૂર્વ ડિરેક્ટર ઋષિ કુમાર શુક્લા અને મેઘાલયના નિવૃત્ત ડીજીપી એલ.આર. બિશ્નોઈ પણ સામેલ હશે. સર્વોચ્ચ અદાલતે સૂચન કર્યું કે ઉચ્ચસ્તરીય તપાસ સમિતિ કેટલાક મુદ્દાઓ પર પ્રાથમિકતાના આધારે કામ કરે, જેમાં સૌથી મહત્વપૂર્ણ મુદ્દો મહિલા પ્રદર્શનકારીઓ સામે લક્ષિત હિંસા, ઉત્પીડન અને છેડતીની કથિત ઘટનાઓ સાથે જોડાયેલો છે.
