જમ્મુ-કાશ્મીરના નગરોટામાં થયેલ અથડામણ મુદ્દે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા સમીક્ષા બેઠક યોજાઇ
Live TV
-
જમ્મુ-કાશ્મીરના નગરોટામાં થયેલ અથડામણ મુદ્દે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા સમીક્ષા બેઠક યોજાઇ છે. આ બેઠકમાં ગૃહમંત્રી અમિત શાહ, એન.એસ.એ., વિદેશ સચિવ અને વરિષ્ઠ ગુપ્ત અધિકારી સામેલ થયા હતા. મહત્વનું છે કે, અથડામણમાં માર્યા ગયેલા આંતકીઓએ 26/11 હુમલાની વરસીએ દેશમાં મોટા હુમલાની યોજના ઘડી હતી. જો કે આ અથડામણ બાદ હાલ જમ્મુ-કાશ્મીરમાં આતંકીઓ વિરુદ્ધ સુરક્ષાદળોનું અભિયાન યથાવત છે. નગરોટામાં પણ સુરક્ષા વ્યવસ્થા કડક કરી દેવાઈ છે અને દરેક નાકા પર અવર-જવર કરનાર વાહનોની તપાસ શરૂ કરવામાં આવી છે. ગુરૂવારે વાહનોની તપાસ દરમિયાન આતંકવાદીઓના એક જૂથે સુરક્ષાદળો આતંકીઓએ ફાયરીંગ કર્યું હતું. સામ-સામે ફાયરિંગમાં સુરક્ષાદળોએ ચાર આંતકીઓને ઠાર માર્યા હતા. સેનાને આતંકીઓ પાસેથી AK સિરીઝની 11 રાઇફલ પણ મળી આવી હતી.
