જમ્મુ-કાશ્મીરના ભૂતપુર્વ મુખ્યમંત્રી ફારુક અબ્દુલ્લાની અટકાયત થઈ રદ
Live TV
-
ગત વર્ષે 15 મી સપ્ટેમ્બરથી ડો ફારૂક અબ્દુલ્લા નજરકેદ હેઠળ હતા
જમ્મુ-કાશ્મીરના ભૂતપુર્વ મુખ્યમંત્રી ફારુક અબ્દુલ્લાને મૂક્ત કરવા આદેશ આપવામાં આવ્યો છે. તેમને 4, ઓગસ્ટ,2019ની રાત્રે નજરકેદ કરવામાં આવ્યા હતા. ત્યારપછીના દિવસે જમ્મુ-કાશ્મીરમાંથી અનુચ્છેક-370 હટાવવામાં આવી હતી. બાદમાં 15 ડિસેમ્બરથી તેમને પબ્લિક સેફ્ટી એક્ટ હેઠળ અટકાયતમાં રાખવામાં આવ્યા હતા. તેમની અટકાયત ત્રણ-ત્રણ મહિના વધારવા માટે આદેશ આપવામાં આવ્યા હતા. અંતિમ આદેશ 11 માર્ચના રોજ જારી કરવામાં આવ્યો હતો. તેને સરકારે પાછો ખેંચ્યો છે. 82 વર્ષિય ફારુક અબ્દુલ્લા સાથે અન્ય બે મુખ્યમંત્રીઓ ઉમર અબ્દુલ્લા અને મહેબુબા મુફ્તીને પણને પણ અલગ-અલગ જગ્યાએ અટકાયતમાં રાખવામાં આવ્યા હતા. અત્યારે ઉમર અને મહેબૂબાને છોડવા માટે આદેશ આપવામાં આવ્યો નથી
