જમ્મુ-કાશ્મીરમાં જમાત-એ-ઈસ્લામીના સભ્યો અને સમર્થકોના 16 સ્થળો પર દરોડા
Live TV
-
રાષ્ટ્રીય તપાસ એજન્સી - NIA એ પ્રતિબંધિત જમાત-એ-ઈસ્લામીની આતંકવાદી અને દેશદ્રોહી પ્રવૃત્તિઓના સંબંધમાં જમ્મુ-કાશ્મીરમાં વિવિધ સ્થળોએ દરોડા પાડ્યા છે. NIAએ એક નિવેદનમાં કહ્યું છે કે, જમ્મુ-કાશ્મીરના સભ્યો અને જમાત-એ-ઈસ્લામીના સમર્થકોના 16 સ્થળો પર દરોડા પાડવામાં આવ્યા છે. તેમાં કાશ્મીર ખીણના બારામુલ્લા જિલ્લામાં 11 અને જમ્મુ ક્ષેત્રના કિશ્તવાડ જિલ્લાના પાંચ સ્થળોનો સમાવેશ થાય છે. દરોડા દરમિયાન અનેક ગુનાહિત સામગ્રી અને ડિજિટલ ઉપકરણો જપ્ત કરવામાં આવ્યા હતા. તેઓની વધુ કડીઓ મેળવવા માટે તપાસ કરવામાં આવી રહી છે.
વર્ષ 2019માં ગેરકાયદેસર પ્રવૃતિઓ નિવારણ અધિનિયમ હેઠળ ગેરકાયદેસર સંગઠન જાહેર કરવામાં આવ્યું હોવા છતાં, જમાત-એ-ઈસ્લામી જમ્મુ અને કાશ્મીરમાં આતંકવાદી પ્રવૃત્તિઓ માટે આર્થિક મદદ કરવાનું ચાલુ રાખે છે. આ સંગઠન જમ્મુ અને કાશ્મીરમાં હિંસક અને દેશદ્રોહી ગતિવિધિઓ માટે કાશ્મીરી યુવાનોને ઉશ્કેરે છે અને તેમની ભરતી કરે છે.
