જમ્મુ કાશ્મીર: મોડી રાત્રે થયેલ અથડામણમાં 1 આતંકી ઠાર
Live TV
-
પુલવામા જિલ્લાના અવંતિપુરા વિસ્તારમાં મોડી રાત્રે અથડામણ થઈ હતી.
જમ્મુ કાશ્મીરના પુલવામા જિલ્લાના અવંતિપુરા વિસ્તારમાં મોડી રાત્રે થયેલી અથડામણમાં 1 આતંકવાદીને ઠાર મારવામાં આવ્યો છે. પોલીસે આપેલી જાણકારી અનુસાર સેના, CRPF અને જમ્મુ કશ્મીર પોલીસની સંયુક્ત ટીમને વિસ્તારમાં કેટલાક આતંકવાદીઓ હોવાની માહિતી મળ્યા બાદ વિસ્તારને કોર્ડન કરી સર્ચ ઓપરેશન હાથ ધરાયું હતું. આતંકવાદી છૂપાયેલો હતો તે વિસ્તારમાં જ્યારે સુરક્ષા ટીમ પહોંચી ત્યારે આતંકીએ સુરક્ષા દળ પર ફાયરિંગ કર્યું હતું. જેના જવાબમાં સુરક્ષાદળોએ આતંકીને ઠાર માર્યો હતો. સર્ચ ઓપરેશન હજુ પણ ચાલી રહ્યું છે. ઠાર કરાયેલા આતંકીની ઓળખ કરવા માટેની કાર્યવાહી પણ હાથ ધરાઈ છે.
