જયપુર : કોરોના અંગે લોકજાગૃતિ લાવવા કલાકારો મેદાને, રસ્તા પર બનાવ્યા અનેક ચિત્રો
Live TV
-
કોરોનાને હરાવવા માટે કલાકારો હવે જયપુરમાં મેદાને ઉતર્યા છે જ્યાં પોલીસની મદદથી જયપુરમાં શેરીઓમાં કોરોના પેટિંગ કરવામાં આવી રહ્યા છે, જેથી સામાન્ય લોકોને કોરોના વિશે જાગૃત કરવામાં આવે, જેથી લોકો ઘરોમાં જ રહેવા માટે પ્રેરિત થાય.
જયપુરના માર્ગો પર હવે કોરોના વાયરસ દેખાઈ રહ્યો છે. જયપુર શહેરમાં ચાર રસ્તા પર કોરોના વાયરસ ચહેરાની પેઇન્ટિંગ્સ બનાવવામાં આવી રહી છે. આ ચિત્રો જયપુરના કલાકારો દ્વારા બનાવવામાં આવી રહ્યાં છે. એક સંદેશ પણ કોરોના શબ્દના અર્થ સાથે લખવામાં આવી રહ્યો છે- કોઈ રસ્તા પર આવવું જોઈએ નહીં .. (કો- કોઈ નહીં, રો ... રસ્તા પર ના... નીકળો)
કલાકારોએ પોલીસને મદદ કરવા માટે શહેરમાં આવા 25 જેટલા કોરોના પેન્ટિંગ બનાવ્યા હતા. આ સિલસિલો ચાલુ જ છે. પેન્ટિંગ એવી જગ્યાએ બનાવવામાં આવી રહી છે કે જ્યાં રસ્તે ચાલતા લોકોની નજર પેઇન્ટિંગ પર પડે અને તેઓ રસ્તા પર ન નીકળવા માટે પ્રેરાય.
