જવાનોના ઓપરેશનમાં ચાર આતંકીઓને કર્યા ઠાર
Live TV
-
રમજાન મહિનો પુરો થયા પછી જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદી સામે સુરક્ષા દળોનું અભિયાન ફરીથી શરૂ કરવાના કેન્દ્ર સરકારના નિર્ણયની અસર જોવા મળી રહી છે. સોમવારે રાજ્યના બાંદીપુરા જિલ્લામાં ચલાવેલા ઓપરેશનમાં ચાર આતંકવાદીઓ માર્યા ગયા હતા. બાંદીપુરાના જંગલોમાં અથડામણ દરમિયાન જવાનોએ આ આતંકવાદીઓને ઠાર કર્યા હતા. થોડાં સમય પહેલા જવાનોએ આ જંગલોમાં બે આતંકવાદીઓને ઠાર કર્યા હતા. રાજ્યના પોલીસ મહાનિર્દેશકે કહ્યું હતું કે, રાજ્યમાં એક તરફી સંઘર્ષવિરામ ખતમ થયા પછી આતંકી સંગઠન સામે સખત કાર્યવાહી કરવામાં આવી રહી છે. સેના પ્રમુખ બીપીન રાવતે સરહદ થયેલા સેનાના જવાન ઔરંગજેબના પરિવારની મુલાકાત કરી હતી.
