જુલાઈમાં ચંદ્રયાન-2નું પ્રક્ષેપણ
Live TV
-
ચંદ્રયાન-2ને 9થી 16 જુલાઈ વચ્ચે GSLV માર્ક-3 યાનથી શ્રી હરિકોટાથી પ્રક્ષેપિત કરવામાં આવશે
ભારતીય અવકાશ સંશોધન સંસ્થા ઈસરોએ ચંદ્રયાન-2ના પ્રક્ષેપણ માટે તારીખ નક્કી કરી દીધી છે.ચંદ્રયાન-2ને 9થી 16 જુલાઈ વચ્ચે GSLV માર્ક-3 યાનથી શ્રી હરિકોટાથી પ્રક્ષેપિત કરવામાં આવશે.ચંદ્રયાન-2માં મોકલવામાં આવી રહેલો રોવર ,6 સપ્ટેમ્બરે ચંદ્રની સપાટી પર ઉતરશે.તો આપને જણાવી દઈએ કે ચંદ્રયાનનું પ્રક્ષેપણ અત્યાર સુધી 4 વખત ટળી ચુક્યું છે.ઈસરોના કહેવા મુજબ મોડ્યુલને સંપૂર્ણ રીતે તૈયાર કરવામાં આવી રહ્યું છે.કારણ કે 9થી 16 જુલાઈની વચ્ચે ચંદ્રયાન-2નું સફળ પ્રક્ષેપણ થઈ શકે.આ મિશન ચંદ્રની સપાટી પર જઈને નમુના એકત્ર કરશે.અને તેનું વિશ્લેષણ કરીને ઈસરોને મોકલશે.
