ટીબી હારશે, ભારત જીતશે...પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વારાણસીમાં વન વર્લ્ડ ટીબી સમિટને કર્યું સંબોધન
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે પોતાના લોકસભા વિસ્તાર વારાણસીના પ્રવાસે છે. અહીં તેમણે વિશ્વ ક્ષય રોગ દિવસ નિમિત્તે 'વન વર્લ્ડ ટીબી સમિટ' સંબોધન કરતા જણાવ્યું હતું કે, આ સમિટ વારાણસીમાં થવી એ સૌભાગ્યની વાત છે. વારાણસી વર્ષોના પરિશ્રમનું સાક્ષી રહ્યું છે. મને વિશ્વાસ છે કે, ટીબી જેવી બીમારી સામે આપણા વૈશ્વિક સંકલ્પને કાશી નવી ઊર્જા આપશે. અમે ટીબીમુક્ત ભારતના અભિયાન સાથે જોડાવવા માટે દેશના લોકોને નિ-ક્ષય મિત્ર બનાવવાનું આહ્વાન કર્યું હતું. ટીબીના દર્દીઓની સ્ક્રિનિંગ માટે, તેમની સારવાર માટે અમે તેમને આયુષ્માન ભારત યોજના સાથે જોડી લીધા છે. ટીબીની નિઃશુલ્ક તપાસ માટે અમે દેશભરમાં લેબ્સની સંખ્યા પણ વધારી છે. પ્રધાનમંત્રીએ ઉમેર્યું હતું કે, ટીબી ખત્મ કરવાનો ગ્લોબલ ટાર્ગેટ વર્ષ 2030 છે. ભારત હવે વર્ષ 2025 સુધી ટીબી ખતમ કરવાના લક્ષ્ય પર કામ કરી રહ્યું છે. સાથે જ ટીબીના દર્દીઓને 2 હજાર કરોડ રૂપિયા સીધા તેમને બેન્ક ખાતામાં મોકલવામાં આવ્યા છે.
