તાઝિકિસ્તાનના વિદેશ મંત્રી સિરોજિદ્દીન મુહરિદ્દીન ભારતના પ્રવાસે
Live TV
-
ભારત મધ્ય એશિયા દેશોની બેઠકની યજમાની કરી રહ્યુ છે. આ બે દિવસીય બેઠકમાં કઝાકિસ્તાન, કિર્ગિસ્તાન, તઝાકિસ્તાન, તુર્કમેનિસ્તાન, અને ઉઝબેકિસ્તાનના વિદેશમંત્રી સામેલ થશે. ત્યારે ભારતયાત્રા પર આવેલા તઝાકિસ્તાનના વિદેશમંત્રી સિરોજિદ્દિન મુહરિદ્દીન આજે વિદેશમંત્રી એસ. જયશંકર સાથે વાતચીત કરશે. પરસ્પર હિતના દ્વિપક્ષીય, ક્ષેત્રીય અને આંતરરાષ્ટ્રીય મુદ્દા પર ચર્ચા કરશે. તઝાકિસ્તાનના વિદેશમંત્રી મુહરિદ્દિન તેમની આ યાત્રા દરમિયાન અન્ય મહાનુભવ સાથે મુલાકાત પણ કરશે. તેમની આ ભારતયાત્રાથી બંને દેશ વચ્ચે રણનીતિક ભાગીદારી વધુ મજબૂત થશે.
