તેલંગાણા અને છત્તીસગઢ સરહદે સુરક્ષા દળ અને નક્સલવાદીઓ વચ્ચે અથડામણમાં 10 નક્સલવાદી ઠાર
Live TV
-
તેલંગાણા અને છત્તીસગઢ સરહદે જંગલમાં સુરક્ષા દળ અને નક્સલવાદીઓ વચ્ચે સર્જાયેલી અથડામણમાં 10 નક્સલવાદી ઠાર થયા છે. અત્યારસુધીમાં 4 મહિલા માઓવાદી સહિત 6 નક્સલવાદીના મૃતદેહો મળી આવ્યા છે.
કિસ્તારામ પોલીસ મથકના જંગલ વિસ્તારમાં પોલીસ અને સીઆરપીએફની સામે નક્સલવાદીઓએ વચ્ચે આ અથડામણ સર્જાઇ હતી. તેલંગાણા અને છત્તીસગઢ પોલીસ તેમ જ સીઆરપીએફના સંયુક્ત અભિયાનમાં સુરક્ષા દળોને આ સફળતા મળી છે. સર્ચ ઓપરેશન હજી ચાલી રહ્યું છે. છત્તીસગઢ, આંધ્ર અને તેલંગાણા એમ તમામ પાડશી રાજ્યો દ્વારા ઓપરેશન 'પ્રહાર' ચલાવવામાં આવી રહ્યું છે. તે અંતર્ગત જ સુરક્ષા દળોને આ સફળતા મળી છે.
