જમ્મુ ખાતે યોજાઈ રહેલ રિયલ એસ્ટેટ સમિટ-2021માં 39 સમજૂતીઓ પર હસ્તાક્ષર થયા
Live TV
-
જમ્મુ ખાતે રિયલ એસ્ટેટ સમિટ-2021 - 'અનલોકિંગ ઓપોર્ચ્યુનિટિ'નું આયોજન થયું છે. સમિટમાં 39 સમજૂતીઓ પર હસ્તાક્ષર થયા હતા. રેસિડેન્સિઅલ, કોમર્સિયલ, ફિલ્મ અને ફાયનાન્સ ક્ષેત્ર સાથે સંકળાયેલી સમજૂતીઓઓ થઇ હતી. જમ્મુ કાશ્મીર સરકાર અને રાષ્ટ્રીય રીયલ એસ્ટેટ વિકાસ પરિષદ સાથે આ સમજૂતીઓ થઇ હતી.
આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી હરદિપસિંહ પુરી, કેન્દ્રીય મંત્રી જીતેન્દ્ર સિંહ અને રાજ્યપાલ મનોજ સિંહા ઉપસ્થિત રહ્યા હતા. રાજ્યપાલ મનોજ સિંહાએ આ પ્રસંગે જણાવ્યું હતું કે, આજનો દિવસ જમ્મુ - કાશ્મીરના ઉદ્યોગ અને રીયલ એસ્ટેટ જગત માટે ઐતિહાસિક દિવસ છે. સમજૂતી થકી યુવાનોને મળનારી રોજગારીમાં વૃદ્ધિ થશે. અન્ય રાજ્યોની જેમ જ જમ્મુ કાશ્મીરમાં પણ રીયલ એસ્ટેટ ક્ષેત્રને સુવિધા મળશે.
