ત્રીજા કાર્યકાળ માટે આગામી 100 દિવસનો પ્લાન તૈયાર : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સમચાર એજન્સી એઅનઆઇને આપેલી એક વિશેષ મુલાકાતમાં રામ મંદિર, વન નેશન, વન ઇલેક્શન, ત્રણ તલાક, ભારતના વિકાસના રોડમેપ અંગેવાત કરી હતી અને ખાસ તો દક્ષિણ ભારત ઉપર ભાર મૂક્યો હતો.
પ્રધાનમંત્રીએ પરિવારવાદ અને સનાતન ધર્મ અંગે પણ પોતાનો મત વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, લોકશાહીમાં ચૂંટણી ઉત્સવની જેમ ઉજવાવી જોઈએ, સાથે જ ઉમેર્યુંકે એક રાષ્ટ્ર એક ચૂંટણી અમારી પ્રતિબદ્ધતા છે. ઘણા લોકોએ સમિતિને તેમના સૂચનો આપ્યા છે...
પ્રધાનમંત્રીએ એમ પણ કહ્યું હતું કે, મારા નિર્ણયો કોઈને ડરાવવા કે દબાવવા માટે નહીં પરંતુ દેશના સર્વાંગી વિકાસ માટે છે. તો રામ મંદિર અંગેના વિપક્ષના ઉહાપોહ અંગે તેમણે કહ્યું હતું કે, વિપક્ષે રામ મંદિરને રાજકીય મુદ્દો બનાવ્યો આનો ઉકેલ વિપક્ષ ઘણા વર્ષ પહેલા લાવી શક્યો હોત.
સાથે જ પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, બે વર્ષ પહેલાથી 2047ના વિઝન પર કામ કરી રહ્યો હતો, મેં દેશભરના લોકો પાસેથી સૂચનો માંગ્યા હતા કે તેઓ આગામી 25 વર્ષમાં દેશને કેવી રીતે જોવા માંગે છે