દિલ્લી NCRના લોકોને મોટી રાહત
Live TV
-
વાતાવરણ સારુ થવાની સ્થિતિમાં, આગામી 2 દિવસમાં સુધારાની આશા
દિલ્લી NCRમાં ધીમો પવન ફૂંકાવાને કારણે પ્રદૂષણના સ્તરમાં થોડો ઘટાડો થયો.વાયુ પ્રદૂષણનું સ્તર અતિ ગંભીરથી ગંભીરની શ્રેણીમાં આવી ગયું.હવામાન વિભાગે કહ્યુ કે ચક્રવાતી તોફાન મહાને કારણે બુધવાર અને ગુરવારે રાજસ્થાન, પંજાબ, હરિયાણા, પશ્ચિમ ઉત્તર પ્રદેશ અને દિલ્લી NCR સહિત ઉત્તરના મેદાની વિસ્તારોમાં વરસાદની શક્યતા છે.જેના કારણે પ્રદૂષણની સ્થિતિમાં વધુ સુધારો આવશે.કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના કહેવા મુજબ સાંજે રાષ્ટ્રીય રાજધાનીમાં વાયુ ગુણવત્તા સુચક આંક 416 નોંધવામાં આવ્યો.જે હજુ ગંભીરની શ્રેણીમાં છે.આગરા સહિત ઉત્તરભારત અન્ય વિસ્તારોમાં વાતાવરણ સારુ જોવા મળી રહ્યું છે.તો સુપ્રીમ કોર્ટના નિર્દેશમાં બનેલા પ્રદૂષણ વિરોધી પ્રાધિકરણે કહ્યું છે કે દિલ્લી અને તેના ઉપનગરોમાં પ્રદૂષિત ઈંધણથી ચાલનારા ઉદ્યોગ 8 નવેમ્બરની સવાર સુધી બંધ રહેશે.આ બધાની વચ્ચે રાષ્ટ્રીય હરિત અધિકરણ NGTએ દિલ્લી NCRમાં ખરાબ થતી વાયુ ગણવત્તાની સમિક્ષા કરી અને વિવિધ અધિકારીઓને હાજર થવા આદેશ કર્યો છે
