દિલ્હીમાં સાકેત મેટ્રો પાસે મોટી દુર્ઘટના, બિલ્ડિંગ ધરાશાયી થતાં અનેક લોકો દબાયાની આશંકા
Live TV
-
રાજધાની દિલ્હીમાં સાકેત મેટ્રો સ્ટેશન નજીક આવેલા સૈદુલજાબ વિસ્તારમાં શનિવારે સાંજે એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી. અહીં નિર્માણાધીન ૪ માળની એક બિલ્ડિંગ અચાનક ધરાશાયી થતા દોડધામ મચી ગઈ હતી. આ ઘટનામાં અત્યાર સુધીમાં ૭ લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા છે, જ્યારે કાટમાળ નીચે હજુ પણ ૬ થી ૭ લોકો દબાયા હોવાની આશંકા સેવાઈ રહી છે.
રાજધાની દિલ્હીમાં સાકેત મેટ્રો સ્ટેશન નજીક આવેલા સૈદુલજાબ વિસ્તારમાં શનિવારે સાંજે એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી. અહીં નિર્માણાધીન ૪ માળની એક બિલ્ડિંગ અચાનક ધરાશાયી થતા દોડધામ મચી ગઈ હતી. આ ઘટનામાં અત્યાર સુધીમાં ૭ લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા છે, જ્યારે કાટમાળ નીચે હજુ પણ ૬ થી ૭ લોકો દબાયા હોવાની આશંકા સેવાઈ રહી છે.
શું હતી ઘટના?
ઘટનાનો સમય: શનિવારે સાંજે અંદાજે 6.00 વાગ્યે ઈમારત પત્તાના મહેલની જેમ ધરાશાયી થઈ હતી.બચાવ કામગીરી: દિલ્હી ફાયર સર્વિસ (DFS) ને રાત્રે 7.44 વાગ્યે પ્રથમ જાણકારી મળી હતી, ત્યારબાદ તરત જ ૪ ફાયર ટેન્ડર ઘટનાસ્થળે મોકલી દેવાયા હતા.
સહાયક ટીમો: NDRF, દિલ્હી પોલીસ, સિવિલ ડિફેન્સ અને એમ્બ્યુલન્સની ટીમો યુદ્ધના ધોરણે બચાવ કાર્યમાં જોડાઈ છે.
સ્થાનિકોનું શું કહેવું છે?
સ્થાનિક રહેવાસીઓના જણાવ્યા મુજબ, આ ઈમારતમાં અનેક કોર્પોરેટ ઓફિસો કાર્યરત હતી. સદનસીબે શનિવારની રજા હોવાને કારણે અહીં કર્મચારીઓની સંખ્યા ઘણી ઓછી હતી. ઈમારત પાસે જ એક કેન્ટીન આવેલી છે, જ્યાં કેટલાક બાળકો જમી રહ્યા હતા, ત્યાં કાટમાળ પડતા ભારે નુકસાન થયું છે. જો વર્કિંગ ડે હોત તો જાનહાનિનો આંકડો ઘણો મોટો હોઈ શકે તેમ હતો.તંત્રનું નિવેદન
દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ આ ઘટના પર ચિંતા વ્યક્ત કરતા જણાવ્યું કે, "NDRF, દિલ્હી પોલીસ અને MCD સહિતની તમામ એજન્સીઓ યુદ્ધના ધોરણે બચાવ કામગીરી કરી રહી છે. ઈજાગ્રસ્તોને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. હાલમાં અમારું સંપૂર્ણ ધ્યાન કાટમાળ નીચે દબાયેલા લોકોને સુરક્ષિત બહાર કાઢવા પર છે." હજુ સુધી બિલ્ડિંગ પડવાનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી. હાલ કાટમાળ હટાવવા માટે ભારે મશીનરીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. વહીવટીતંત્ર સતત સર્ચ ઓપરેશન ચલાવી રહ્યું છે જેથી કોઈ જીવિત વ્યક્તિ કાટમાળ નીચે દબાયેલી હોય તો તેને તાત્કાલિક મદદ મળી શકે.
