દિલ્હી: રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ ખેડૂતોના અધિકાર પર પ્રથમ વૈશ્વિક પરિસંવાદનું કરશે ઉદ્ઘાટન
Live TV
-
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દિલ્હીમાં આજે ખેડૂતોના અધિકાર પર પ્રથમ વૈશ્વિક પરિસંવાદનું ઉદ્ઘાટન કરશે.
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દિલ્હીમાં આજે ખેડૂતોના અધિકાર પર પ્રથમ વૈશ્વિક પરિસંવાદનું ઉદ્ઘાટન કરશે. આ કાર્યક્રમમાં દુનિયાભરના 59 દેશોના પ્રખ્યાત વૈજ્ઞાનિક સહિત સંકળાયેલા લોકો ભાગ લેશે. ખાદ્ય અને ખેતી માટે છોડના આનુવંશિક સંસાધનો પર આંતરરાષ્ટ્રીય સંધિમાં ઉલ્લેખિત ખેડૂતોના અધિકારો પર ચર્ચા થશે. ભારત દુનિયાનો પ્રથમ એવો દેશ છે જેમાં છોડની વિવિધતા અને ખેડૂત સંરક્ષણ અધિનિયમ 2001ના માધ્યમથી, છોડની વિવિધતા નોંધણી સંદર્ભમાં ખેડૂતોના અધિકારોનો સમાવેશ કર્યો છે. આ કાર્યક્રમમાં ખેતી અને ખેડૂત કલ્યાણ મંત્રી નરેન્દ્રસિંહ તોમર પણ ઉપસ્થિત રહેશે.
