દિલ્હી હિંસા મુદ્દે હોબાળાને કારણે સંસદના બન્ને ગૃહોની કાર્યવાહી સ્થગિત
Live TV
-
દિલ્હી હિંસાને લઈને લોકસભા અને રાજ્યસભામાં આજે પણ હંગામો થયો હતો. હંગામાના કારણે લોકસભાની કાર્યવાહી પહેલા 12 વાગ્યા સુધી અને પછી 2 વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી છે. જ્યારે રાજ્યસભાની કાર્યવાહી પણ 2 વાગ્યા સુધી સ્થગિત કરી દેવામાં આવી છે.
લોકસભામાં દિલ્હી હિંસાનો મુદ્દો વિપક્ષ તરફથી ઉઠાવવામાં આવ્યો હતો. કોંગ્રેસ પાર્ટી તરફથી અધીર રંજન ચૌધરીએ પોતાની વાત રાખી હતી અને માંગણી કરી હતી કે સરકાર આ બાબતે ચર્ચા કરાવે. સદનમાં હંગામો થતા લોકસભા અધ્યક્ષ ઓમ પ્રકાશ બિરલાએ કહ્યું હતું કે ઘણા વિપક્ષી દળોના સાંસદો પોતાની વાત રાખી રહ્યા છે.
સ્પીકરે બધા પ્રમુખ દળોના નેતા સાથે વાત કરી હતી પણ સદનમાં સત્તા પક્ષ અને વિપક્ષ વચ્ચે હંગામાની સ્થિતિ બની હતી. આ મુદ્દે સ્પીકરે ચેતવણી આપી હતી કે જે પણ સાંસદ વેલમાં આવશે તેને આખા સત્ર દરમિયાન સસ્પેન્ડ કરવામાં આવશે.
