દૂરદર્શન અમદાવાદના નિશીથ જોષીનું દિલ્હી ખાતે વિશિષ્ઠ એવોર્ડથી કરાયું સન્માન
Live TV
-
માહિતી અને પ્રસારણ કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકર રહ્યા હાજર
નવી દિલ્હી આકાશવાણી ભવન ખાતે ગઈકાલે 44માં વાર્ષિક એવોર્ડ સમારંભ યોજાઇ ગયો. સમારંભમાં વિવિધ શ્રેણીના વિજેતાને એવોર્ડથી નવાજવામાં આવ્યા હતા. આ પ્રસંગે માહિતી અને પ્રસારણ કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકર અને પ્રસાર ભારતીના ચેરમેન એ. સૂર્યપ્રકાશે ઉપસ્થિત રહીને આકાશવાણીની કામગીરીને બિરદાવી હતી. દૂરદર્શન અમદાવાદ માટે ગર્વરૂપ કહી શકાય તેમ સંપાદક નિશીથ જોષીને પણ આકાશવાણી ત્રીપુરા ખાતે બજાવેલી ફરજના સંન્માનમાં વર્ષ 2017નો શ્રેષ્ઠ સંવાદદાતાનો એવોર્ડ પણ આપવામાં આવ્યો હતો.
