દેશના સૌથી મોટા બેન્ક કૌભાંડ કેસમાં સીબીઆઇએ FIR દાખલ કરીને તપાસ શરૂ કરી
Live TV
-
કેન્દ્રીય તપાસ એજન્સી સીબીઆઇએ એ દેશના સૌથી મોટા બેન્ક કૌભાંડ કેસમાં એબીજી શિપયાર્ડ લિમિટેડ,તેના પુર્વ ચેરમેન અને એમડી ઋષિ કમલેશ અગ્રવાલ તેમજ અન્યો વિરૂદ્ધ એફઆઇઆર દાખલ કરીને તપાસ શરૂ કરી છે. બે ડઝન જેટલી બેન્કના કોન્સોર્ટિયમ સાથે છેતરપિંડી કર્યાના કિસ્સામાં એફઆઇઆર દાખલ થયેલી છે. કંપનીએ જે બેન્ક ધિરાણ મેળવ્યું હતું તેનો ઉપયોગ વ્યક્તિગત હેતુસર કરીને છેતરપિંડી કરી હતી. તેને પગલે કંપનીના ખાતા એનપીએ જાહેર થયા તેના ત્રણ વર્ષ પહેલાંના કંપનીના હિસાબોનું ફોરોન્સિક ઓડિટ કરવામાં આવ્યું હતું. તપાસ દરમિયાન ધ્યાને આવ્યું હતું કે કંપની તરફથી મોટાભાગની ગેરરીતી વર્ષ 2006 થી 2009 દરમિયાન કરવામાં આવી હતી.
