દેશના 200 જીલ્લાઓમાં આજે પ્રધાનમંત્રી રાષ્ટ્રીય એપ્રેન્ટીસશીપ મેળાઓનું આયોજન
Live TV
-
સમગ્ર દેશના 200 જીલ્લાઓમાં આજે પ્રધાનમંત્રી રાષ્ટ્રીય એપ્રેન્ટીસશીપ મેળાઓ યોજાઇ રહ્યા છે. કેન્દ્રિય કૌશલ્ય વિકાસ મંત્રાલયના ઉપક્રમે યોજાનાર આ મેળામાં વિવિધ ક્ષેત્રની કંપનીઓ ભાગ લઇ રહી છે. આ મેળામાં ભાગ લેવા ઇચ્છતા ઉમેદવારોએ apprenticeshipindia.gov.in આ વેબસાઇટ ઉપર નોંધણી કરાવવાની રહેશે. ધોરણ 12 સુધીના અભ્યાસ કરેલા અથવા કૌશલ્ય તાલીમ પ્રમાણપત્ર સહિત સ્નાતક કક્ષા સુધીના પ્રમાણપત્રો ધરાવતા યુવાનો આ મેળામાં ભાગ લઇ શકશે. કૌશલ્ય વિકાસ વિભાગના સચિવ અતુલ કુમાર તિવારીએ જણાવ્યું છે કે, ભારતના યુવકો માટે આ પ્રકારના મેળા ઉદ્યોગો સાથે જોડાવવા અને ઉદ્યોગોને અનુકૂળ તાલીમ મેળવવા માટેની એક સારી તક છે. સમગ્ર દેશમાં દર મહિને બીજા સોમવારે પ્રધાનમંત્રી રાષ્ટ્રીય એપ્રેન્ટીસશીપ મેળાઓ યોજવામાં આવે છે. આ મેળામાં પસંદગી પામનાર ઉમેદવારોને નવું કૌશલ્ય મેળવવા માસિક સ્ટાઇપેન્ડ સાથે તાલીમ આપવામાં આવે છે.
