દેશના 78 જિલ્લામાં છેલ્લા 14 દિવસમાં કોરોના વાયરસનો એકપણ કેસ નહીં : આરોગ્ય મંત્રાલય
Live TV
-
કેન્દ્રિય આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે, દેશમાં 12 જિલ્લા એવા છે કે, જ્યાં છેલ્લા 28 દિવસમાં એક પણ કોરોનાનો પોઝિટિવ કેસ સામે આવ્યો નથી. જ્યારે 23 રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશના 78 જિલ્લા એવા છે કે, જ્યાં છેલ્લા 14 દિવસમાં એક પણ કેસ નોંધાયો નથી.
ગૃહ મંત્રાલયે સ્પષ્ટ કર્યું છે કે, વરિષ્ઠ નાગરિકો માટે ઇન હાઉસ કેર, ડ્રાઈવર, મોબાઈલ રિચાર્જ, યુટિલિટીઝ અને ફૂડ પ્રોસેસ સંલગ્ન યુનિટ ,અને કૃષિ સાથે જોડાયેલી અનેક સેવાઓને ,લોકડાઉન પ્રતિબંધમાંથી છૂટ મળેલી છે. તો કોરોના સંક્રમિત બીજા વ્યક્તિના સ્વસ્થ થયાં બાદ ,ત્રિપુરા દેશનું ત્રીજું ,કોરોના મુક્ત રાજ્ય બની ગયું છે. મુખ્યમંત્રી બિપ્લબકુમાર દેબે, તમામને સોશિયલ ડિસન્ટસિંગ જાળવી રાખવા અને સરકારના દિશા-નિર્દેશનું પાલન કરવાની અપીલ કરી છે.
