દેશભરના 84 કલાકારોને ઉપરાષ્ટ્રપતિ સંગીત નાટ્ય અકાદમી પુરસ્કાર એનાયત કરશે
Live TV
-
ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ આજે નવી દિલ્હીમાં સંગીત નાટક અકાદમી પુરસ્કાર પ્રદાન કરશે. ઉપ રાષ્ટ્રપતિ જગદીપ ધનખડ વિજ્ઞાન ભવનમાં દેશભરના 84 કલાકરોને તામ્રપત્ર સહિત એક લાખ રૂપિયાની માતબર રકમ પ્રદાન કરશે. સંસ્કૃતિ મંત્રાલય દ્વારા આ પુરસ્કાર 75 વર્ષથી વધુ ઉંમરના કલાકારોને આપવામાં આવશે તેમજ આ પુરસ્કાર એવા કલાકરોને પ્રદાન કરવામાં આવશે જેમને અત્યાર સુધી રાષ્ટ્રીય સ્તરનો એકપણ પુરસ્કાર પાપ્ત ન થયો હોય. સંગીત નાટક અકાદમીએ જણાવ્યું છે કે, આ કલાકારો ભારતની સમૃદ્ધિ અને વિવિધ સંસ્કૃતિ દર્શાવે છે. આ કલાકારોને સન્માનપત્ર તેમજ અંગવસ્ત્ર સહિત એક લાખ રૂપિયાની માતબર રકમ આપવામા આવશે.
