દેશમાં અત્યાર સુધી કુલ 3.48 કરોડ લોકોને રસી આપવામાં આવી
Live TV
-
દેશમાં ખાસ કરીને મહારાષ્ટ્ર,પંજાબ,ગુજરાત,કર્ણાટક,તમિલનાડુમાં ફરી કોરોનાના કેસો વધી રહ્યા છે. મહારાષ્ટ્રના નાગપુરમાં સોમવારથી લોકડાઉન આપી દેવામાં આવ્યુ છે. આ દરમ્યાન જરૂરી સેવાઓમાં રાહત આપવામાં આવી છે. નાગપુરમાં 21 માર્ચ સુધી લોકડાઉન રહેશે. ગુજરાતનાં 4 મહાનગરોમાં પણ રાત્રી કર્ફ્યુના સમયમાં વધારો કરવામાં આવ્યો છે, સાથે આજ રાતથી ભોપાલ અને ઇંદોરમાં નાઇટ કર્ફ્યુ લગાવવામાં આવ્યો છે. કોરોના જંગ સામે દેશ સતત ઝઝૂમી રહ્યો છે, ત્યારે કોરોના ટીકાકરણ અભિયાનમાં સારો એવો પ્રતિસાદ જોવા મળી રહ્યો છે. આ સાથે સરકારની કામગીરીને કારણે મૃત્યુદર ઘટી રહ્યો છે. 16 માર્ચના રોજ 19,11,913 લોકોનું રસીકરણ થયું, જયારે દેશમાં અત્યાર સુધી કુલ 3.48 કરોડ લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે. દેશમાં કોરોના રીકવરી રેટ 96.68 ટકા જોવા મળ્યો છે.
