આજ રાતથી ભોપાલ અને ઇંદોરમાં નાઇટ કર્ફ્યુ
Live TV
-
મધ્યપ્રદેશમાં કોરોનાનાં વધતા સંક્રમણથી રાજ્ય સરકારે કડક પગલા લીધા છે. આજે રાતથી ભોપાલ અને ઇંદોરમાં નાઇટ કર્ફ્યુ લગાવવામાં આવ્યો છે.. આ સિવાય મહારાષ્ટ્રથી આવનાર લોકોનુ થર્મલ સ્ક્રિનિગ યથાવત રહેશે અને ત્યાથી આવનાર લોકોને એક સપ્તાહ આઇસોલેશનમાં રાખવામાં આવશે. તો બીજી તરફ દેશમાં કોરોના સામે જંગ યથાવત છે. રસીકરણ અભિયાન પણ યથાવત છે ત્યારે મંગળવાર સાંજે સાત વાગ્યા સુધી દેશમાં કુલ 3 કરોડ 48 લાખથી વધુ લોકોનુ રસીકરણ કરવામાં આવ્યુ છે. કાલે 19 લાખથી વધુ લોકોને કોરોનાની રસી આપવામાં આવી હતી.
