દેશમાં અત્યાર સુધી 6 કરોડ 11 લાખથી વધુ લાભાર્થીઓને કોવિડનાં ડોઝ આપવામાં આવ્યા
Live TV
-
આરોગ્ય મંત્રાલયે જણાવ્યું છે કે, દેશમાં 6 કરોડ 11 લાખથી વધુ લાભાર્થીઓને કોવિડના ડોઝ આપવામાં આવ્યા છે. છેલ્લાં ચોવીસ કલાકમાં કોવિડનાં 56 હજારથી વધુ નવા કેસ નોંધાતા કુલ કેસોની સંખ્યા એક કરોડ 20 લાખ થઈ છે.
હાલમાં એક્ટિવ કેસ 5 લાખ 40 હજાર છે. છેલ્લા 24 કલાકમાં 37 હજાર દર્દીઓ સાજા થતાં કુલ સાજા થયેલા દર્દીઓની સંખ્યા એકકરોડ 13 લાખ થઈ છે. આ સાથે સાજા થવાનો દર 94.18 ટકા થયો છે.આરોગ્ય મંત્રાલયે કહ્યું છે કે, છેલ્લાં 24 કલાકમાં 271 લોકોનાં મોત થયા છે. આ સાથે મૃત્યુઆંક એક લાખ 62 હજાર પર પહોંચી ગયો છે.
