દેશમાં અમલી થનારા નવા ફોજદારી કાયદાની ભારતના મુખ્ય ન્યાયમૂર્તિ ચંદ્રચૂડે પ્રશંસા કરી
Live TV
-
ભારતના મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ ડી.વાય. ચંદ્રચુડે ફોજદારી ન્યાય પ્રણાલીમાં પરિવર્તન લાવવામાં ટેકનોલોજીની મુખ્ય ભૂમિકા પર ભાર મૂક્યો છે. ગઈકાલે સીબીઆઈ દિવસ નિમિત્તે નવી દિલ્હીમાં 20મું ડી.પી. કોહલી મેમોરિયલ લેક્ચર આપતા, જસ્ટિસ ચંદ્રચુડે નવા જમાનાના ગુનાહિત નેટવર્કનો અસરકારક રીતે સામનો કરવા નવી ટેકનોલોજી અપનાવવાની હિમાયત કરી હતી.
સમયની જરૂરિયાત સીબીઆઈની કાર્યવાહીની જટિલતાને ઓળખવાની અને વિલંબને ટાળવા માટે ટેક્નોલોજીનો લાભ લેવાની છે. ચીફ જસ્ટિસે કહ્યું કે, ટેક્નોલોજીની ભૂમિકા ઝડપી અને ન્યાયી ટ્રાયલને સરળ બનાવશે. જસ્ટિસ ચંદ્રચુડે કહ્યું હતું કે ડિજિટલ ટ્રાન્સફોર્મેશનના યુગમાં, કાયદો અને ટેક્નોલોજીમાં ગુનાની તપાસના કારણને આકાર આપવાની અપાર ક્ષમતા છે.
આ પ્રસંગે, ભારતના મુખ્ય ન્યાયાધીશે સીબીઆઈ અધિકારીઓને વિશિષ્ટ સેવા માટે રાષ્ટ્રપતિ પોલીસ મેડલ અને મેરીટોરીયસ સર્વિસ માટે પોલીસ મેડલ પણ અર્પણ કર્યા હતા. સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશનની સ્થાપના ભારત સરકારના 1લી એપ્રિલ 1963ના ઠરાવ દ્વારા કરવામાં આવી હતી, જે માત્ર લાંચ અને ભ્રષ્ટાચારના કેસોની જ નહીં, પણ કેન્દ્રીય રાજકોષીય કાયદાના ઉલ્લંઘનો અને ગંભીર ગુનાઓની તપાસ કરવા ઉપરાંત સહાયક ગુપ્ત માહિતી એકત્ર કરે છે.