દેશમાં કુલ 3.17 કરોડ લોકોને ટીકાકરણ
Live TV
-
કોરોના ટીકાકરણ અભિયાનમાં સારો એવો પ્રતિસાદ જોવા મળી રહ્યો છે
દેશમાં કોરોના મહામારીની વાત કરવામાં આવે,તો દેશમાં છેલ્લા બે મહિનાઓથી કોરોના મહામારીના નવા કેસો સામે આવી રહ્યા છે. ખાસ કરીને મહારાષ્ટ્ર,પંજાબ,ગુજરાત,કર્ણાટક,તમિલનાડુમાં ફરી કોરોનાના કેસો વધી રહ્યા છે, ત્યારે રાજ્યના સ્વાસ્થય મંત્રી ફરી લોકડાઉન આપવાની વિચારણા કરી રહ્યા છે. મહારાષ્ટ્રના નાગપુરમાં સોમવારથી લોકડાઉન આપી દેવામાં આવ્યુ છે. આ દરમ્યાન જરૂરી સેવાઓમાં રાહત આપવામાં આવી છે. નાગપુરમાં 21 માર્ચ સુધી લોકડાઉન રહેશે. કોરોના જંગ સામે દેશ સતત ઝઝૂમી રહ્યો છે, ત્યારે કોરોના ટીકાકરણ અભિયાનમાં સારો એવો પ્રતિસાદ જોવા મળી રહ્યો છે. આ સાથે સરકારની કામગીરીને કારણે મૃત્યુદર ઘટી રહ્યો છે. હાલ દેશમાં કુલ 3.17 કરોડ લોકોને ટીકાકરણ કરવામાં આવ્યુ છે. તો દેશમાં કોરોના રીકવરી રેટ 96.68 ટકા જોવા મળ્યો છે.
