દેશમાં કોરોનાથી મૃતકોની સંખ્યા 1000ને પાર, 31 હજારથી વધુ કુલ સંક્રમિતો
Live TV
-
દેશમાં હાલ 22629 જેટલા એક્ટિવ કેસ છે જ્યારે 7695 લોકો હોસ્પિટલમાંથી સાજા થયા
દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 31,332 થઈ ગઈ છે. અને અત્યાર સુધી દેશમાં 1,007 લોકોના મોત થયા છે. દેશમાં હાલ 22629 જેટલા એક્ટિવ કેસ છે જ્યારે 7695 લોકો કોરોનાથી સાજા થઈને પરત પહોંચ્યા છે. મંગળવારે ગુજરાતમાં 226, મધ્ય પ્રદેશમાં 222, દિલ્હીમાં 206, રાજસ્થાનમાં 102, તમિલનાડુમાં 121, આંધ્ર પ્રદેશમાં 82, પશ્ચિમ બંગાળમાં 48 સહિત 1100 લોકોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા. 20 દેશોમાં ભારતની સરખામણીએ દર્દીઓની સંખ્યા 84 ગણી, જ્યારે મૃતકોની સંખ્યા 200 ગણી છે. ભારત કોરોના દર્દીઓની કુલ સંખ્યા અને આ મહામારીથી મોતની સંખ્યાના મામલે દુનિયાના એ 20 દેશો કરતા ઘણી સારી સ્થિતિમાં જે કોરોનાથી સૌથી વધુ પ્રભાવિત છે.
