જમ્મુ કાશ્મીરમાં સેના અને આતંકવાદી વચ્ચે અથડામણ, 2 આતંકી ઠાર
Live TV
-
શોપિયાના જૈનપોરા વિસ્તારમાં આતંકવાદીઓ છુપાયા હોવાની માહિતીના આધારે સર્ચ ઓપરેશન
જમ્મુ કાશ્મીરના શોપિયામાં સેનાના જવાનો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણમાં 2 આતંકવાદી ઠાર મરાયા છે. શોપિયાના જૈનપોરા વિસ્તારમાં આતંકવાદીઓ છુપાયા હોવાની માહિતીના આધારે સેના આ વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. આ દરમિયાન આતંકવાદીઓએ ફાયરિંગ શરૂ કરી દીધું હતું. તો સેનાના જવાનોએ વળતો જવાબ આપી 2 આતંકવાદીઓને ઠાર માર્યા હતા. જોકે સવાર સુધી અથડામણ ચાલી હતી. કાશ્મીરમાં છેલ્લા 11 દિવસમાં સેના અને આતંકવાદીઓ વચ્ચે અલગ અલગ સ્થળે અથડામણ થઈ હતી. જેમા અત્યાર સુધી 15 આતંકવાદીઓ ઠાર મરાયા છે. જોકે આ દરમિયાન 3 જવાન શહીદ પણ થયા હતા.
