દેશમાં કોવિડ-19 અને રસીકરણની સ્થિતિ સંદર્ભે પ્રધાનમંત્રીએ સમીક્ષા બેઠકની અધ્યક્ષતા કરી
Live TV
-
આજ તારીખ 27 મી નવેમ્બરના રોજ સવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશમાં કોવિડ-19 અને કોરોના રસીકરણની સ્થિતિનો તાગ મેળવવા માટે ઉચ્ચ અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક કરી હતી. આ બેઠકમાં કોવિડ-19 ની સ્થિતિ અને રસીકરણની વર્તમાન સ્થિતિઓ પર ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી. કોવિડ-19 સ્થિતિ અંગેની આ મહિને આ બીજી બેઠક યોજાઇ હતી. જેમાં સ્વાસ્થ્ય મંત્રાલયના અધિકારીઓ પ્રધાનમંત્રી કાર્યાલયના અધિકારીઓ અને સરકારના અન્ય વરિષ્ઠ અધિકારી હાજર રહ્યા હતા. ઉપસ્થિત અધિકારીઓ ન માત્ર કોવિડની સ્થિતિ પણ રસીકરણની સ્થિતિને લઇને પણ પ્રધાનમંત્રીને અવગત કર્યા હતા.
