દેશમાં સઘન મિશન ઇન્દ્રધનુષ 4.૦ અંતર્ગત વાર્ષિક 2 કરોડ 67 લાખ બાળકોને રસી આપવામાં આવી રહી છે
Live TV
-
દેશમાં બાળકો માટે રસીકરણને વધુ વેગ આપવા કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ "સઘન મિશન ઇન્દ્રધનુષ 4.૦" વિશેની માહિતી આપી હતી.સાથે મિશન ઇન્દ્રધનુષ પણ લોન્ચ કર્યું હતું.આરોગ્ય મંત્રી કહ્યું કે, દેશમાં, 76% બાળકોને પૂર્ણ રસીકરણ કરવામાં આવ્યું છે. પરંતુ આ લક્ષ્યાંક 90% સુધી પહોચાડવાનો છે. સાથે કહ્યું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ "સબકા વિકાસ"ની હમેશા વાત કરે છે તે માટે લક્ષ્ય પાર કરવા કેન્દ્રો,રાજ્યો અને લોકોની ભાગીદારી હોવી જરૂરી છે.સઘન મિશન ઇન્દ્રધનુષ, 4.૦ એ 28 રાજ્યોના 416 જિલ્લામા શરુ કરવામાં આવ્યું છે.જેમાં બાળકોને વિવિધ આરોગ્યલક્ષી રસી આપવામાં આવશે.આ અભિયાન ત્રણ મહિના સુધી ચાલશે.તો, દેશમાં વાર્ષિક 2 કરોડ 67 લાખ બાળકોને રસી આપવામાં આવે છે.
