નક્સલવાદ પ્રભાવિત 10 રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે ગૃહમંત્રીની બેઠક
Live TV
-
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે નક્સલ પ્રભાવીત 10 રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે બેઠક કરી હતી. કેન્દ્રીય ગૃહમંત્રીએ ટવીટ કરીને જણાવ્યુ હતું કે નકસલવાદ પ્રભાવિત રાજયોના મુખ્યમંત્રીઓ સાથેની બેઠક સાર્થક રહી.
નકસલ પ્રભાવિત રાજયોના વિકાસ અને સુરક્ષા માટે ઘણાં મુદ્દાઓ પર ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. તેમણે જણાવ્યુ હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં નકસલવાદને ડામવા અમારી સરકાર કટિબધ્ધ છે. ઉલ્લેખનીય છે કે આ બેઠકમાં નકસલવાદ પ્રભાવિત રાજ્યોના મુખ્યમંત્રીઓએ ભાગ લીધો હતો.
આ ઉપરાંત કેન્દ્રીય મંત્રીઓ અને વિભિન્ન મંત્રાલયોના સચિવ, ગૃહમંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓ અને સુરક્ષા એજન્સીઓએ પણ ભાગ લીધો હતો. નકસલ પ્રભાવિત દેશના 10 રાજ્યોમાં છત્તીસગઢ, ઝારખંડ, ઓડિશા, બંગાળ, બિહાર, મહારાષ્ટ્ર, તેલંગાણા, આંધ્રપ્રદેશ, મધ્યપ્રદેશ અને ઉત્તરપ્રદેશનો સમાવેશ થાય છે.
