નવા IT નિયમોનું તાત્કાલિક પાલન કરવા માટે સૂચના અને પ્રૌદ્યોગિક મંત્રાલયે ટ્વિટરને અંતિમ નોટિસ મોકલી
Live TV
-
સૂચના અને પ્રૌદ્યોગિક મંત્રાલયે નવા આઇટી ધોરણોનું પાલન કરવા માટે ટ્વિટરને અંતિમ નોટિસ મોકલવામાં આવી છે. મધ્યસ્થીઓને લગતી નવી માર્ગદર્શિકા અને નિયમો 26 મેથી અમલમાં આવ્યા છે..સોશિયલ મીડિયા મધ્યસ્થીઓને નવા નિયમનું પાલન કરવા માટે આપેલી નોટિસની ત્રણ મહિનાની પાલન અવધિ પૂરી થયા પછી ટ્વિટર દ્વારા ભારતમાં ચીફ કમ્પ્લાયન્સ ઓફિસર, નોડલ લાઇઝન ઓફિસર અને ફરિયાદ નિવારણ અધિકારીની નિમણૂક થવાની બાકી છે.
આ નોટિસમાં ભારત સરકાર દ્વારા કહેવામાં આવ્યું છે કે, ‘ભારતના લોકો પોતાની ફરિયાદોને દૂર કરવા માટે અને વિવાદોના હલ માટે એક નિષ્પક્ષ તંત્ર માગે છે અને તે મળવું જોઇએ'
