નવી કેન્દ્રીય ક્ષેત્રની યોજના 'PM વિશ્વકર્મા'ને મળી મંજૂરી
Live TV
-
કેન્દ્રીય કેબિનેટે ગ્રામીણ અને શહેરી ભારતના પરંપરાગત કારીગરોને ટેકો આપવા માટે નવી કેન્દ્રીય ક્ષેત્રની યોજના 'PM વિશ્વકર્મા'ને મંજૂરી આપી છે..પીએમ વિશ્વકર્મા યોજના હેઠળ કુશળ કારીગરોને પીએમ વિશ્વકર્મા પ્રમાણપત્ર અને આઈડી કાર્ડ દ્વારા માન્યતા આપવામાં આવશે, 5%ના રાહત દર સાથે રૂ. 1 લાખ અને રૂ.2 લાખ સુધીની ક્રેડિટ સપોર્ટ આપવામાં આવશે.
આ યોજના આગળ કૌશલ્ય અપગ્રેડેશન, ટૂલકિટ પ્રોત્સાહન, ડિજિટલ વ્યવહારો માટે પ્રોત્સાહન અને માર્કેટિંગ સપોર્ટ પ્રદાન કરશે. ગુજરાતના વિશ્વકર્મા સમાજે તેમજ શહેરી અને ગ્રામિણ વિસ્તારના કારીગરોએ કેન્દ્ર સરકારની જાહેરાતને વધાવતા ખુશીની લાગણી વ્યક્ત કરી હતી.
