નાગરિક ઉડ્ડયન મંત્રાલય-આંતરરાષ્ટ્રીય વિમાન સેવા અંગે આગામી સમયમાં સમીક્ષા કરી નિર્ણય લેવાશે
Live TV
-
નાગરિક ઉડ્ડયન મંત્રાલયે જણાવ્યું છે કે, વ્યાવસાયિક આંતરરાષ્ટ્રીય વિમાન સેવા અંગે આગામી સમયમાં સમીક્ષા કર્યા બાદ નિર્ણય લેવાશે. ઉલ્લેખનીય છે કે, ભારતે 15 ડિસેમ્બરથી આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ ફરીથી શરૂ કરવાનો નિર્ણય કર્યો હતો, પરંતુ વિવિધ દેશોમાં ઓમિક્રોન વેરિયન્ટના વધી રહેલા કેસોને ધ્યાનમાં રાખી ભારતે 15 ડિસેમ્બરથી આંતરરાષ્ટ્રીય ફ્લાઈટસ શરૂ નહીં કરવાનો નિર્ણય કર્યો છે. DCCAમાં પરિપત્રમાં જણાવ્યું છે કે, નવા વેરિયન્ટ દ્વારા ઉભી થયેલી પરિસ્થિતિ પર દેખરેખ રખાઈ રહી છે. સ્થિતિની સમીક્ષા બાદ આંતરરાષ્ટ્રીય વિમાન સેવાઓ ફરી શરૂ કરવાની તારીખો જાહેર કરાશે.