દેશમાં 24 કલાકમાં કોરોનાના 9,765 નવા કેસ નોંધાયા, 477 દર્દીના મૃત્યુ
Live TV
-
દેશભરમાં 24 કલાકમાં કોરોનાના 9,765 નવા કેસ નોંધાયા છે અને 477 દર્દીના કોરોનાથી મૃત્યુ થયા છે. 24 કલાકમાં દેશમાં 8,548 દર્દી કોરોનાથી સાજા થયા છે. દેશમાં અત્યાર સુધી કુલ 3,40,37,054 લોકો કોરોનાથી સ્વસ્થ થયા છે. હાલ દેશમાં 99,763 સક્રિય કેસ
છે. છેલ્લા 24 કલાકમાં કોરોના રસીના 80,35,261 ડોઝ આપવામાં આવ્યા છે. અત્યાર સુધી દેશભરમાં રસીના કુલ 124.96 કરોડથી વધારે લોકોને ડોઝ આપવામાં આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના 10,98,611 સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં કોરોનાના કુલ 64.35 કરોડથી વધારે સેમ્પલ ટેસ્ટ કરાયા છે.