નિરવ મોદી લંડનમાં હોવાના સમાચાર, UK સરકારે કરી પુષ્ટી
Live TV
-
પીએનબી કૌભાંડ મામલે ફરાર થયેલા અને ભાગેડુ જાહેર થયેલા નિરવ મોદી લંડનમાં હોવાના સમચાર મળતા સીબીઆઈએ પ્રત્યારપ્ણની અરજી દાખલ કરી છે.
યુનાઈટેડ કિંગડમ સરકારે પુષ્ટી કરી છે કે, નિરવ મોદી લંડનમાં છે, તેમ સીબીઆઈએ જણાવ્યું છે. પંજાબ નેસનલ બેંક કૌભાંડના આરોપીને ભાગેડુ જાહેર કરવામાં આવ્યો છે. સીબીઆઈએ તેના પ્રત્યાર્પણની અરજી કરી છે. ઘણા સમયથી રેડ કોર્નર નોટિસ જાહેર કરીને નીરવ મોદીને ભારતની વિવિધ એજન્સીઓ શોધી રહી છે, ત્યારે હવે વિવિધ એજન્સીઓ સંયુક્ત રીતે તેને ભારત લાવવાની દિશામાં પગલા હાથ ધરશે.
