નિર્ભયા કેસના ચારેય દોષિતોને તિહાર જેલમાં અપાઇ ફાંસી
Live TV
-
નિર્ભયા બળાત્કાર અને હત્યા કેસમાં ચારેય આરોપીને વહેલી સવારે 5-30 કલાકે તિહાર જેલમાં ફાંસી આપવામાં આવી છે. સાત વર્ષ ચાલેલી કાનુની લડાઇ બાદ આરોપી પવન ગુપ્તા, મુકેશસિંહ, અક્ષયસિંહ,અને વિનયને ફાંસી આપવાની કાર્યવાહી પૂર્ણ થઇ છે.
નિર્ભયા બળાત્કાર અને હત્યા કેસમાં ચારેય આરોપીને વહેલી સવારે 5-30 કલાકે તિહાર જેલમાં ફાંસી આપવામાં આવી છે. સાત વર્ષ ચાલેલી કાનુની લડાઇ બાદ આરોપી પવન ગુપ્તા, મુકેશસિંહ, અક્ષયસિંહ,અને વિનયને ફાંસી આપવાની કાર્યવાહી પૂર્ણ થઇ છે. ગઇ કાલે દિલ્હી હાઇકોર્ટમાં મોડે સુધી સુનવણી હાથ ધરી હતી. પરંતું ન્યાયાધીશની ખંડપીઠે કહયું હતું કે અમે મન બનાવી લીધું છે અને આરોપી પાસે હવે કોઇ વિકલ્પ બચ્યો નથી. તિહાર જેલમાં જલ્લાદ પવન દ્વારા ચારેય આરોપીને એક સાથે ફાંસી આપવામાં આવી હતી. નિર્ભયાની માતા આશાદેવીએ કહયું હતું કે અમોને ન્યાય મોડેથી પણ મળ્યો છે.આજે મારી બેટીને ન્યાય મળ્યો છે. મોડે મોડે પણ અમને ન્યાય મળ્યો છે. ભારતની દિકરીઓ માટે અમે અમારી લડાઇ આગળના સમયમાં પણ ચાલુ રાખીશું. આશાદેવીએ કહયું કે ન્યાયપાલીકા ઉપર દેશનો વિશ્ર્વાસ વધ્યો છે.
