નીરવ મોદીની 171 કરોડ રૂપિયાની વધુની અસ્કયામતો ટાંચમાં લેતું એન્ફોર્સમેન્ટ ડિરેકટોરેટ
Live TV
-
ઈ.ડી.એ મની લોન્ડરીંગ પ્રતિબંધક ધારા હેઠળ નીરવ મોદીની અસ્કયામતો ટાંચમાં લેવાના આદેશ આપ્યા છે જે મુજબ મુંબઈ-સુરતમાં 70 કરોડથી વધુ કિંમતની અસ્કયામતો ટાંચમાં લેવાઈ છે.
એન્ફોર્સમેન્ટ ડિરેકટોરેટ - ઈ.ડી.એ. પંજાબ નેશનલ બેંક સાથેના બે અબજ ડોલરથી વધુ કિંમતની છેતરપિંડીના કેસમાં હીરાના વેપારી આરોપી નીરવ મોદીની 171 કરોડ રૂપિયાની વધુની અસ્કયામતો ટાંચમાં લીધી છે. ઈ.ડી.એ મની લોન્ડરીંગ પ્રતિબંધક ધારા હેઠળ નીરવ મોદીની અસ્કયામતો ટાંચમાં લેવાના આદેશ આપ્યા છે જે મુજબ મુંબઈ-સુરતમાં 70 કરોડથી વધુ કિંમતની અસ્કયામતો ટાંચમાં લેવાઈ છે. દરમ્યાન સી.બી.આઈ. એ તેના આરોપ નામામાં પંજાબ નેશનલ બેંકના ભૂતપૂર્વ એમ.ડી. ઉષા અનંત સુબ્રમણ્યમ તેમજ અન્ય અધિકારીઓ અંગે તથા નીરવ મોદી દ્વારા રીઝર્વ બેંકને ગેરમાર્ગે દોરવા અંગેના આક્ષેપ કરયા છે.
