નેધરલેન્ડના મહારાણી મૈક્ઝિમાએ PM સાથે કરી મુલાકાત
Live TV
-
નેધરલેન્ડના મહારાણી મૈક્ઝિમા ચાર દિવસના ભારતના પ્રવાસે
ચાર દિવસના ભારતના પ્રવાસે આવેલાં નેધરલેન્ડના મહારાણી મૈક્ઝિમાએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી. મહારાણી મૈક્ઝિમાએ ભારતમાં છેલ્લા કેટલાક સમયથી , આર્થિક ક્ષેત્રે સુધાર લાવવા માટે નરેન્દ્ર મોદીએ લીધેલા પગલાંઓની પ્રશંસા કરી છે. મૈક્ઝિમાએ જન ઘન યોજના, પ્રધાનમંત્રી જીવન જ્યોતિ યોજના , અને અટલ પેંશન યોજના વિશે વાત કરતાં આ યોજનાઓને લોકોનું આર્થિક સ્તર ઊંચું લાવવા માટે મહત્વપૂર્ણ ગણાવી હતી. મહારાણી મેક્જિમાએ ભારતમાં રોકાણની સંભાવના અંગે પણ , નરેન્દ્ર મોદી સાથે ચર્ચા કરી હતી.
