નેપાળમાં ભારતીય દૂતાવાસ ખાતે પ્રજાસત્તાક પર્વની ઉજવણી
Live TV
-
ગઈકાલે 26 જાન્યુઆરીએ માત્ર દેશમાં જ નહીં પણ વિદેશોમાં પણ ભારતના પ્રજાસત્તાક પર્વની ઉજવણી થઈ હતી. નેપાળમાં ભારતીય દૂતાવાસ ખાતે ભારતીય રાજદૂત મનજીત પૂરીએ રાષ્ટ્રધ્વજ લહેરાવ્યો હતો. નેપાળમાં ઉત્સાહભેર પ્રજાસત્તાક પર્વની ઉજવણી થઈ હતી. આ પ્રસંગે નેપાળના ઉપરાષ્ટ્રપતિ નંદબહાદુરે કાઠમંડુ ખાતે ઈન્ડિયા હાઉસ ખાતે ભારત - નેપાળ રાજદ્વારી સંબંધોના સીત્તેર વર્ષ નામે પુસ્તકનું વિમોચન કર્યું હતું. વાણિજ્ય દૂતાવાસ ખાતે પણ ઉજવણી થઈ હતી ન્યૂઝીલેન્ડમાં પણ ભારતીય રાજદૂત સંજીવ કોહલીએ ધ્વજ લહેરાવ્યો હતો. સંયુક્ત રાષ્ટ્ર અમીરાતના અબુધાબી ખાતે પણ એડનોક ટાવરને ત્રિરંગાના રંગોથી સજાવવામાં આવ્યો હતો.
