પંજાબ પોલીસે ‘વારિસ પંજાબ દે’ ના 78 લોકોની કરી ધરપકડ
Live TV
-
પંજાબ પોલીસે શનિવારે રાજ્યમાં 'વારિસ પંજાબ દે'ના તત્વો સામે રાજ્યમાં વ્યાપક કોર્ડન એન્ડ સર્ચ ઓપરેશન્સ શરૂ કર્યા હતા. ઓપરેશન દરમિયાન અત્યાર સુધીમાં કુલ 78 લોકોની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે કેટલાક અન્ય લોકોની પૂછપરછ માટે અટકાયત કરવામાં આવી છે. વધુ વિગતો આપતાં પંજાબ પોલીસના સત્તાવાર પ્રવક્તાએ ગઈ કાલે જણાવ્યું હતું કે, જલંધર જિલ્લાના શાહકોટ-માલ્સિયન રોડ પર પોલીસ દ્વારા 'વારિસ પંજાબ દે'ની ઘણી પ્રવૃત્તિઓને અટકાવવામાં આવી હતી અને સ્થળ પર સાત લોકોની ધરપકડ કરવામાં આવી હતી. અમૃતપાલ સિંહ સહિત અન્ય કેટલાક લોકો ફરાર છે અને તેમને પકડવા માટે મોટાપાયે શોધખોળ શરૂ કરવામાં આવી છે.
રાજ્યવ્યાપી ઓપરેશન દરમિયાન અત્યાર સુધીમાં એક .315 બોરની રાઈફલ, 12 બોરની સાત રાઈફલ, એક રિવોલ્વર અને વિવિધ કેલિબરના 373 જીવતા કારતૂસ સહિત નવ હથિયારો મળી આવ્યા છે. પ્રવક્તાએ વધુ માહિતી આપી હતી કે આ તત્વોના વર્ગો વચ્ચે અસંતુલન ફેલાવવા, હત્યાનો પ્રયાસ, પોલીસ કર્મચારીઓ પર હુમલો કરવા અને જાહેર સેવકોની ફરજોના કાયદેસર રીતે નિભાવવામાં અવરોધ ઉભો કરવા સંબંધિત ચાર ગુનાહિત કેસોમાં સંડોવાયેલા છે.
ઐ્આ દરમિયાન તમામ નાગરિકોને નકલી સમાચાર અને અફવાઓ પર ધ્યાન ન આપવા વિનંતી કરવામાં આવે છે. રાજ્યમાં સ્થિતિ સંપૂર્ણપણે સ્થિર છે. રાજ્યમાં શાંતિ અને સંવાદિતાને ખલેલ પહોંચાડવા માટે તોફાની પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા તમામ વ્યક્તિઓ સાથે કડક કાર્યવાહી કરવામાં આવશે.
