પાકિસ્તાનને આંતરરાષ્ટ્રીય સમુદાયથી અલગ-થલગ કરવું જોઈએ: CDS બિપિન રાવત
Live TV
-
CDS બિપિન રાવત : જો આર્થિક તથા રાજદ્વારી પગલાં અસફળ રહ્યા તો ભારત કરશે નિર્ણાયક કાર્યવાહી.
દિલ્હીમાં ચાલી રહેલા પ્રતિષ્ઠીત રાયસીના ડાયલોગમાં વૈશ્વિક પડકારો અને ભારતની ભૂમિકાને લઇને ચર્ચા ચાલી રહી છે. સંમેલનના છેલ્લા દિવસે આજે સીડીએસ જનરલ બીપીન રાવતે કહયું કે આતંકવાદ સામેની લડીઇ હજુ પુરી થઇ નથી. જનરલ બિપીન રાવતે કહયું કે જ્યાં સુધી આપણે આતંકવાદના મૂળ સુધી નથી પહોચતા, ત્યાં સુધી અમે આ લડાઇ ચાલુ રાખીશું. સીડીએસ જનરલ બીપીન રાવતે આતંકવાદ અંગે પાકિસ્તાનને ચેતવણી આપી કે જો આર્થિક કે રાજકીય પગલા તેને રોકવામાં સફળ થતાં નથી તો તેવી સ્થિતિમાં ભારતને કડક પગલા ભરવા પડી શકે છે. જનરલ બિપિન રાવતે પાકિસ્તાનને આંતરરાષ્ટ્રીય સમુદાયની અલગ-થલગ કરવાની વાત પણ કરી.
