પુલવામા આતંકી હુમલાને પગલે સમગ્ર દેશમાં અને ગુજરાતમાં એલર્ટ
Live TV
-
પુલવામા આતંકી હુમલાને પગલે સમગ્ર દેશમાં અને ગુજરાતમાં એલર્ટ આપવામાં આવ્યું છે ત્યારે ઇન્ટેલિજન્સ બ્યુરો દ્વારા ગુજરાતના ધાર્મિક સ્થળો તેમજ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે હુમલાની શક્યાતો વ્યક્ત કરવામાં આવી છે. જેને પગલે સ્ટેચ્યુ ઓફ યુનિટીની સુરક્ષામાં વધારો કરી દેવામાં આવ્યો છે. મહત્વનું છે કે નર્મદા જિલ્લામાં આવેલી સરદાર વલ્લભભાઈ પટેલની 182 મીટર ઉંચી પ્રતિમાને નિહાળવા માટે રોજના હજારો પ્રવાસીઓ આવે છે તેવામાં હાઈએલર્ટને પગલે અહીં રાઉન્ડ ધ ક્લોક સુરક્ષા ગોઠવી દેવામાં આવી છે અને ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે.
