પ્રધાનમંત્રી મોદી : પુલવામામાં થયેલા આતંકવાદી હુમલાનો પુરો બદલો લેવામાં આવશે
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ફરી જણાવ્યું છે કે પુલવામામાં થયેલા આતંકવાદી હુમલાનો પુરો બદલો લેવામાં આવશે. મહારાષ્ટ્રના યવત માલ યાત્રા દરમિયાન એક જન સભાને સંબોધન દરમિયાન પ્રધાનમંત્રીએ દુશ્મનોને ચેતવણી આપી હતી કે શહીદોની શહાદત વ્યર્થ જશે નહીં અને આતંકવાદીઓને તેમની કરનીની સજા જરૂર મળશે. અહીં તેમણે મહારાષ્ટ્રમાં શહીદ થયેલા બે જવાનોને પણ શ્રદ્ધા સુમન અર્પણ કર્યા હતા.
પ્રધાનમંત્રીએ ખેડૂતો માટે પી.એમ. કિશાન યોજના તેમજ શ્રમયોગી નાગરિકો માટે અનેક યોજનાઓનો લાભ લેવા ઉપસ્થિત લોકોને અનુરોધ કર્યો હતો. તેમણે ઉમેર્યું હતું કે વર્ષ 2022 સુધીમાં તમામ લોકોને પોતાનું ઘર મળી રહે તે માટે ખાસ યોજના ચાલી રહી છે. પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ મળનારા મકાનો તે ઘર ની મહિલાના નામે જ મળશે તેમ તેમણે કહ્યું હતું. પ્રધાનમંત્રીએ એકલવ્ય આવાસીય વિદ્યાલય નું ઉદઘાટન કર્યું હતું તેમણે વીડિયો લિંક દ્વારા અચની નાગપુર પૂણે ટ્રેન સેવા ને લીલી ઝંડી આપી ને પ્રસ્થાન કરાવ્યું હતું.
