પુલવામા હુમલાના આરોપી તથા જૈશના આતંકી શાકિર બશીરની ધરપકડ
Live TV
-
જમ્મુ-કાશ્મીરના પૂલવામા ગત વર્ષે 14 ફેબ્રુઆરીએ થયેલા આત્મઘાતી હુમલાની તપાસમાં રાષ્ટ્રીય સુરક્ષા એજન્સીને મોટી સફળતા મળી છે. સુરક્ષાદળોએ જૈશના આતંકી શાકિર બશીરની ધરપકડ કરી છે. શાકિરે આત્મઘાતી હુમલાખોર આદિલ અહમદ ડારને પુલવામાં શરણ આપી હતી તે ઉપરાંત શાકિરે તેને વિસ્ફોટક સામગ્રી ઉપલબ્ધ કરાવી હતી. હાલ NIA શાકિરની ધરપકડ કરી તેની પૂછપરછ હાથ ધરી છે ત્યારે હુમલા સંબંધિત અનેક ખૂલાસાઓ થવાની શક્યતા છે.
